Coriander Seeds Dhani & Dhana

ધાણા પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ

જમીન અને આબોહવા:

આ પાક માટે સારી નિતારશક્તિ અને પૂરતા પ્રમાણમાં સેન્દિય તત્વવાળી ગોરાડુથી મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. કોથમીર કે લીલા ધાણાનું વાવેતર કોઈપણ ઋતુમાં કરી શકાય છે. પરંતુ ધાણાના પાકને સૂકી અને ઠંડી આબોહવા વધુ માફક આવતી હોઈ આપણે ત્યાં ધાણાનું વાવેતર શિયાળુ ઋતુમાં કરવામાં આવે છે. વાદળછાયું વાતાવરણ પાકને ખૂબ જ નુકશાનકારક છે.,

જમીનનીતૈયારી:

ચોમાસુ પાક લીધા પછી જમીનને હળથી એક બે વાર ખેડી, જડિયા વીણી, સમા૨ વડે ઢેફાં ભાગી સમતલ બનાવવી. ત્યારબાદ હેકટરે ૨૫ ગાડી સારું કહોવાયેલું છાણિયું ખાતર નાખી કરબથી આડી ઉભી ખેડ કરી જમીન સાથે ભેળવી દેવું. જમીનના ઢોળાવ અને પિયતના પ્રકા૨ને ધ્યાનમાં રાખી ૫ થી ૬ મીટર લાંબા અને ૨.૫ થી ૩.૦ મીટર પહોળા ક્યારા બનાવવા.

જાતોની પસંદગી:

ગુજરાત રાજયના ખેડૂતોને વધુ ઉત્પાદન લેવા ગુજરાત ધાણા-૧, ગુજરાત ધાણા-૨, ગુજરાત ધાણા-૩, ગુજરાત ધાણા-૪ નું બીજ વાવણી માટે પસંદ કરવું. આ જાતોની ખાસિયતો નીચે મુજબ છે જાતો વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે.
Responsive Gujarati Table
અ.નં. ગુણધર્મો ગુજરાત ધાણા -૧ ગુજરાત ધાણા -૨ ગુજરાત ધાણા -૩ સાગર-૪૪ (ધાણા) સાગર-૪ (ધાણી)
પરિપક્વ છોડની ઉંચાઈ (સે.મી.) ૬૮ ૭૨ ૭૩ ૭૨ ૭૦
ફૂલ આવવાના દિવસો ૪૭ ૫૦ ૪૮ ૫૦ ૫૦
પાકવાના દિવસો ૧૦૫ થી ૧૧૦ ૧૧૩ થી ૧૧૫ ૧૧૩ થી ૧૧૫ ૧૧૦ થી ૧૧૫ ૧૦૦ થી ૧૦૫
છોડ પર ચકકર ની સંખ્યા ૧૨ ૧૫ ૧૪ ૧૫ ૧૫
ચકકરમાં ઉપચકકર ની સંખ્યા ૫.૨ ૫.૯ ૫.૫ ૫.૯ ૫.૯
ઉપચકકરમાં દાણાનું વજન (ગ્રામમાં) ૭.૨ ૮.૦ ૮.૪ ૮.૦ ૭.૮
૧૦૦૦ દાણાનું વજન (ગ્રામમાં) ૧૩.૨ ૧૪.૮ ૧૦.૮૨ ૧૪.૯ ૧૪.૫
સુગંધિત તેલના ટકા ૦.૩ ૦.૪ ૦.૫૨ ૦.૪ ૦.૪
હેકટરે ઉત્પાદન (કિ.ગ્રા.) ૧૦૮૨ ૧૪૬૩ ૧૪૪૯ ૧૪૮૦ ૧૪૭૫

બિયારણનો દર અને બીજમાવજત:

એક હેક્ટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિગ્રા બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ(ફાડિયા)કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ત્યારબાદ છાંયામાં સૂકવીને વાવણી કરવાથી ઉગાવો સારો અને ઝડપી થાય છે. જમીનજન્ય અને બીજજન્ય રોગના નિયંત્રણ માટે ૧ કિલો બિયારણ દીઠ ભલામણ મુજબ દવાનો પટ આપી વાવવા માટે ઉપયોગ કરવો.

વાવણીનો સમય અને વાવેતરઅંતર:

પિયત ધાણાની વાવણી નવેમ્બરના પ્રથમ કે બીજા અઠવાડિયામાં કરવી વધુ અનુકૂળ છે. જે સમયે દિવસનું મહત્તમ ઉષ્ણતામાન ૩૦ સે.મી. આજુબાજુ હોવું જરૂરી છે. ધાણાની વાવણી જમીનની પ્રત પ્રમાણે બે હાર વચ્ચે ૩૦ સે.મી. અંતરે કરવાની ભલામણ છે. ક્યારામાં વાવણી બાદ ૩૦ દિવસે હારમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી. અંતર રહે તે પ્રમાણે પારવણી કરવી.

ખાતર વ્યવસ્થાપન:

ધાણાના પાકને ૨૦-૧૦-૦૦ ના.ફો.સે./Kg પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ છે.

આંતરખેડ અને નિંદામણ:

ધાણાના પાકમાં નિંદામણના કારણે ઉત્પાદનમાં ૫૦-૭૧ ટકા સુધી ઘટાડો થાય છે. નિંદામણના ઉપવને ધ્યાનમાં રાખીને ૨-૩ આંતરખેડ અને બે હાથ નિંદામણની જરુરીયાત ૨હે છે. જયાં મજૂરની અછત અને નિંદામણ વધારે હોય ત્યારે વાવણી બાદ તુરત જ નિંદામણનાશક દવાઓ વાવણી પહેલાં છંટકાવ કરી પિયત આપવું અથવા વાવણી બાદ પિયત આપી ૨ દિવસ બાદ છંટકાવ કરવા.

પિયત વ્યવસ્થાપન:

ધાણાના પાકને સામાન્ય રીતે ૫ થી ૬ પિયત દર પંદર દિવસે આપવા. આમ છતાં જમીનની પ્રત પ્રમાણે પિયત ઓછા વત્તા કરી સારું ઉત્પાદન લઈ શકાય છે.

પાક સંરક્ષણ :

ધાણામાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

ક્રમ રોગનું નામ નિયંત્રણ
ભૂકી છારો રોગપ્રતિકારક જાતનું વાવેતર કરવું. ખેતરની આજુબાજુ રહેલ ભારે વાડ તથા ખેતરમાં રહેલ મોટા ઝાડની છટણી કરવી. જરૂર જણાયે રોગ આવ્યા બાદ ભલામણ મુજબના છંટકાવ કરવાં.

ધાણામાં આવતી જીવાત અને તેનું નિયંત્રણ

ક્રમ જીવાતનું નામ નિયંત્રણ
મોલો ઓકટોબરના છેલ્લા અઠવાડિયાથી નવેમ્બર ના પ્રથમ પખવાડિયા સુધીમાં ધાણાની વાવણી કરવી. મોડી વાવણી કરવાથી મોલોનો ઉપદ્રવ વધે છે. મોલોના પરીક્ષણ માટે પીળા ચીકણા પિંજર હેક્ટરે ૧૦ પ્રમાણે ગોઠવવા. ખેતરમાં મોલોના કુદરતી દુશ્મનો જેમ કે કોક્સીનેલા સેપ્ટમપંકટાટા, બ્રુમોઈડસ સુચુરેલીસ, મીનેચીલસ સેક્સમેક્યુલેટસ અને હીપોડામીયા વેરાઈગેટા, સીરફીડ માખીના કીડા (એપીસીફરફસ બલ્ટેટસ, ઈસ્ચિડોન સ્કુટેલારીસ) અને કાયસોપર્લા કાર્નીયા કુદરતી રીતે મોલોને નિયંત્રણમાં રાખતા હોય છે. આ પરભક્ષીઓની વસ્તી વધારે હોય ત્યારે ઝેરી દવાઓના છંટકાવ ટાળવા. લીંબોળીના મીંજનું મિશ્રણ ભલામણ પ્રમાણે છંટકાવ કરવા. જરૂર જણાયે ભલામણ મુજબ રાસાયણિક દવાનો ઉપયોગ કરવો.
દાણાની માંખી જરૂર જણાયે ભલામણ મુજબ રાસાયણિક દવાનો ઉપયોગ કરવો.

કાપણી:

:ધાણાના પાકમાં કાપણી સમય ઉત્પાદન અને ગુણવત્તા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. પાક સામાન્ય રીતે ૧૧૦ થી ૧૨૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. દેહધાર્મિક પરિપક્વતાએ પાકની કાપણી ક૨વી. ધાણાનો લીલો રંગ અને સુગંધ જળવાઈ ૨હે તે માટે કાપણી પછી પાકની સૂકવણી છાંયામાં ક૨વી આવશ્યક છે. જો કાપણી મોડી કરવામાં આવે તો દાણા ખરી પડે, રંગ સફેદ કે ભૂખરો થાય અને ઉડ્ડયનશીલ તેલનું પ્રમાણ ઘટે છે. તે જ પ્રમાણે જો વહેલી કાપણી ક૨વામાં આવે તો અપરિપક્વતાને કારણે ધાણાનું વજન અને કદ ઘટે છે. પરંતુ લીલો રંગ જળવાઈ રહેતાં બજાર કિંમત ઉચી મળે છે. ધાણાનો લીલો રંગ જાળવવા માટે છોડના પાથરાં બાંધી ઉંધા સુકવવા જોઈએ.

તમારા ખેતર માટે વધુ બીજો જુઓ

Inquiry from


    This will close in 20 seconds