Black Gram Seeds

અડદ પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ

જમીન અને આબોહવા:

આ પાકો ગોરાડુ, મધ્યમકાળી અને નિતારવાળી જમીનમાં સારા થાય છે. મગ ની સરખામણી એ અડદ ને થોડા નીચા તાપમાનની જરૂરિયાત રહે છે. આ પ્રકારનું હવામાન દરિયા કિનારાથી નજીકના વિસ્તારોમાં હોવાથી ત્યાં ઉનાળુ અડદનું વાવેતર થાય છે.

જમીનનીતૈયારી:

જમીનમાં જરૂરીયાત મુજબ ખેડ કરી અને સમાર મારી જમીન તૈયાર કરવી.

જાતોની પસંદગી:

અડદ ની સુધારેલી જાતો જેવી કે ટી-૯, ગુજરાત અડદ-૧ અને ગુજરાત અડદ-૨ જેવી રોગ પ્રતિકારક અને વધુ ઉત્પાદન આપતી જાતોની પસંદગી કરી વાવેતર કરવું.
Responsive Gujarati Table
ક્રમ જાત / ગુણધર્મ અડદની જાતો
ટી-૯ ગુજ-અડદ-૪ ગુજ-અડદ-૮ પોષાક
1 બહાર પાડ્યાનું વર્ષ 1975 2004 2019 2025
2 પાકવાના દિવસો 65 થી 75 70 થી 85 70 થી 85 65 થી 75
3 છોડની ઊંચાઈ (સે.મી) 30 થી 35 64 થી 68 58 થી 62 30 થી 40
4 શીંગની સંખ્યા 24 37 40 50
5 100 દાણાનું વજન (ગ્રામ) 400. 420. 476. 475.
6 દાણાનો રંગ કાળો કાળો કાળો કાળો
7 ઉત્પાદન (કિ.ગ્રા./હે.) 800 થી 900 1100 થી 1200 1100 થી 1200 1250 થી 1350

બિયારણનો દર અને વાવેતર અંતર:

અડદનું વાવેતર હેકટરદીઠ ૧૮-૨૦ કિ. ગ્રા. બિયારણનો દર રાખી, ૪૫ x ૧૦ સે. મી.ના અંતરે કરી પિયત આપવું.

બીજ માવજત:

ભલામણ મુજબ પ્રથમ ફુગનાશક દવાનો પટ આપવો પછી જંતુનાશક દવાનો પટ આપવો અને છેલ્લે ર કલાક બાદ રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપી વાવેતર કરવું જોઈએ.

વાવણીનો સમય :

ઉનાળુ : ફેબ્રુઆરીના બીજા પખવાડીયાથી લઈને માર્ચના પ્રથમ પખવાડીયા સુધી તેમજ ખરીફ : જુલાઈ માસના પ્રારંભથી લઈને ૧પમી જુલાઈ સુધી.

ખાતર વ્યવસ્થાપન :

જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન સારૂ કોહવાયેલું છાણીયું ખાતર આપવું. જયારે રસાયણિક ખાતરમાં પાયાના ખાતર તરીકે હેકટરે ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું. જો સલ્ફરની ઉણપ હોય તો ભલામણ મુજબ પાયાના ખાતર તરીકે આપવું.

નિંદામણ અને આંતરખેડ:

અડદના પાકને જરૂરીયાત મુજબ ૨ થી ૩ વખત હાથથી નિંદામણ અને આંતરખેડ કરવી. જો ખેતમજુરોની અછત હોય તો રાસાયણિક નિયંત્રણ માટે વાવેતર બાદ તુરત ભલામણ મુજબની નિંદામણ નાશક દવા છાંટવાથી નિંદામણ નિયંત્રણ થાય છે.

પિયત વ્યવસ્થાપન:

સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પિયતની જરૂરીયાત રહેતી નથી. પરંતુ જો વરસાદ ખેંચાય કે અનિયમિત રહે તેવા સંજોગોમાં પાકની કટોકટીની અવસ્થા જેવી કે ફુલ અને શીંગો બેસવાના સમયે પિયત અવશ્ય આપવું જેથી ઉત્પાદનમાં માઠી અસર પડે નહી. ઉનાળાની ઋતુમાં ૮ થી ૧૦ દિવસના અંતરે જરૂરીયાત મુજબ પિયત આપવા.

પાક સંરક્ષણ :

અડદમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

ક્રમ રોગનું નામ નિયંત્રણ
પીળો પંચરંગીયો આ રોગ સફેદ માખીથી ફેલાય છે. આ રોગના નિયંત્રણ માટે અડદની રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું. આ રોગના રસાયણિક નિયંત્રણ માટે ભલામણ મુજબની રાસાયણિક દવાનો છંટકાવ કરવો..
ભુકીછારો, કાલવ્રણી રોગની શરૂઆત થયે ભલામણ મુજબની રાસાયણિક દવાનો છંટકાવ કરવો.ો

અડદ માં આવતી જીવાત અને તેનું નિયંત્રણ

ક્રમ જીવાતનું નામ નિયંત્રણ
થ્રીપ્સ થ્રીપ્સનો ઉપદ્રવ શરુ થતો જણાય ભલામણ મુજબની રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ./td>
શીંગ કોરી ખાનાર લીલી ઈયળ આ જીવાતના રાસાયણિક નિયંત્રણ માટે ભલામણ મુજબની રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત જૈવિક નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપ હેકટરે ૮ થી ૧૦ સંખ્યામાં મુકવાથી જીવાતના નર ફુદા પકડાય છે જેનાથી જીવાતનું નિયંત્રણ થાય છે. પક્ષીઓનાં આશ્રય માટેના ટેકા/ સ્ટેન્ડ ગોઠવવા. કાળીયો કોશી, કાબર, બગલા વગેરે પક્ષીઓ લીલી ઈયળને ખાઈ જાય છે.ી.

કાપણી:

અડદની શીંગો પાકીને તૈયાર થાય કે તરતજ પાકની કાપણી કરી લેવી. ત્યારબાદ શીંગોને ખળામાં સુકવવી. શીંગો બરાબર સુકાયજાય ત્યારે ટ્રેકટર કે બળદથી મસળી અથવા થ્રેશરથી દાણા છુટા પાડવા.

તમારા ખેતર માટે વધુ બીજો જુઓ

Inquiry from


    This will close in 20 seconds