બિયારણનો દર:દેશી ચણા :
૬૦ – ૭૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર, કાબુલી ચણા : ૧૦૦ – ૧૨૦ કિ.ગ્રા. પ્રતિ હેકટર.
બીજમાવજત:
ભલામણ મુજબની દવાનો બીજને પટ આપવો. બીયારણને પટ આપવાનો હોય તો પ્રથમ ફુગનાશક દવાનો પટ આપવો પછી જંતુનાશક દવાનો પટ આપવો અને છેલ્લે ર કલાક બાદ રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપવો.
વાવણીનો સમય:પિયત :
૧પ ઓકટોબર થી ૧પ નવેમ્બર સુધી, બિનપિયત : ઓકટોબરના છેલ્લા અઠવાડિયાથી
વાવેતરઅંતર:પિયત : ૪૫ x ૧૦ સે.મી., બિનપિયત : ૩૦ x ૧૦ સે.મી
ખાતર વ્યવસ્થાપન:
જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન સારૂ કોહવાયેલું છાણીયું ખાતર આપવું. જયારે રસાયણિક ખાતરમાં પાયાના ખાતર તરીકે હેકટરે ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું. જો સલ્ફરની ઉણપ હોય તો ભલામણ મુજબ સલ્ફર પાયાના ખાતર તરીકે આપવું.
આંતરખેડ અને નિંદામણ:
ચણાના પાકને જરૂરીયાત મુજબ ૨ થી ૩ વખત હાથથી નિંદામણ અને આંતરખેડ કરવી. જો ખેતમજુરોની અછત હોય તો રાસાયણિક નિયંત્રણ માટે વાવેતર બાદ તુરત એટલે કે ચણા ઉગતા પહેલાં ભલામણ મુજબની રાસાયણિક દવાનો છંટકાવ કરી નિંદામણ નિયંત્રણ કરી શકાય છે.
પિયત વ્યવસ્થાપન:
ઘેડ અને ભાલ ઉપરાંત ચરોતરની કયારીની જમીનમાં ચોમાસા બાદ જે ભેજ સંગ્રહાયેલો હોય છે, તેનો ઉપયોગ કરીને જ બિનપિયત ચણા લેવામાં આવે છે. જયારે પિયત ચણામાં પ્રથમ પિયત વાવેતર બાદ તુરંત અને બીજુ પિયત ૬ થી ૭ દિવસે આપ્યા બાદ પાકની કટોકટીની અવસ્થાઓ જેવી કે ડાળીઓ ફુટવી, ફૂલ આવવા, પોપટા આવવા અને દાણા ભરાતી વખતે જરૂરીયાત મુજબ જમીનના પ્રકાર મુજબ આપી શકાય.
પાક સંરક્ષણ :
ચણામાં આવતા રોગો અને તેનું નિયંત્રણ
ચણામાં આવતી જીવાત અને તેનું નિયંત્રણ
કાપણી:
પરીપકવતા સમયે ચણાના પોપટા પીળા પડી જાય છે અને પાંદડી સુકાય જાય છે. આ વખતે ચણાની કાપણી શકય હોય તો સવારના સમયે કરવી. કાપણી કરેલ પાથરા ખળામાં સુકવવા. પાથરા બરાબર સુકાય જાય ત્યારે ટ્રેકટર કે બળદથી મસળવા અથવા થ્રેશરથી દાણા છુટા પાડવા